
કેટલાક ગુનાઓની બાબતમાં ઇન્સાફી કાયૅવાહીનું સ્થળ
(૧) ધાડ અથવા ખૂન સાથે ધાડ પાડવાના ધાડપાડુઓની ટોળીમાં સામેલ હોવાના અથવા કસ્ટડીમાંથી નાસી જવાના ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જે ન્યાયાલયની સ્થાનિક હકૂમતમાં ગુનો થયો હોય અથવા આરોપી મળી આવે તે ન્યાયાલય કરી શકશે.
(૨) કોઇ વ્યકિતના અપહરણ કે અપનયનના ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જે ન્યાયાલયની સ્થાનીક હકૂમતમાં તે વ્યકિતનુ અપહરણ કે અપનયન થયું હોય અથવા તેને લઇ જવામાં આવેલ હોય છુપાવી રાખેલ હોય કે રોકી રાખેલ હોય તે ન્યાયાલય કરી શકશે.
(૩) ચોરીના બળજબરીથી કઢાવી લેવાના અથવા લૂંટના કોઇપણ ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જેની સ્થાનિક હકૂમતમાં ગુનો બન્યો હોય તે ન્યાયાલય અથવા ચોરીનો માલ તે સબંધી ગુનો કરનાર વ્યકિતના કબ્જામાં અથવા ચોરીનો માલ હોવાનું જાણવા કે માનવાને કારણ હોવા છતા એવી મિલકત સ્વીકારનાર કે રાખનાર વ્યકિતએ કબજામાં રાખેલ હોય તે ન્યાયાલય કરી શકશે.
(૪) ગુનાહિત દૂવિનિયોગના અથવા ગુનાહિત વિશ્વાસઘાતના ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જે ન્યાયાલયની સ્થાનિક હકૂમતના ગુનો થયો હોય અથવા જે માલ અંગે ગુનો થયો હોય તેનો કોઇ ભાગ આરોપીએ મેળવ્યો કે રાખ્યો હોય અથવા આરોપીની તે પાછો સોંપવાની કે હિસાબ આપવાની ફરજ હોય તે ન્યાયાલય કરી શકશે.
(૫) જે ગુનામાં ચોરીનો માલ કબ્જામાં રાખવાનો સમાવેશ થતો હોય તે ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જે ન્યાયાલયની સ્થાનિક હકુમતમાં ગુનો થયો હોય અથવા ચોરીનો માલ હોવાનું જાણવા કે માનવાને કારણ હોવા છતા તે સ્વીકારનાર કે રાખનાર વ્યકિતએ કબજામાં રાખેલ હોય તે ન્યાયાલય કરી શકશે.
Copyright©2023 - HelpLaw